ગંદકીથી તોબા ! મોરબીના જુના બસ સ્ટેન્ડમાં નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં જર્જરીત અને ગંદકીયુક્ત શૌચાલય બાબતે ટંકારાના વીરપર-મચ્છુ ગામના જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે અને નવું શૌચાલય બનાવવા જણાવ્યું છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીના જુના બસ સ્ટેન્ડમાં શૌચાલય દુર્ગંધયુક્ત હોય અતિ તીવ્ર વાસ આવી રહી છે. જેના લીધા મુસાફરો-નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. તેથી શૌચાલય નવેસરથી બનાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. જુના શૌચાલયની સ્થિતિ ખખડધજ છે. તેનું ડિમોલીશન કરીને નવેસરથી બાંધકામ કરી સુવિધાયુક્ત પાણીની સુવિધા સાથે શૌચાલય બનાવવામાં આવે. સાથે જ બસ સ્ટેન્ડમાં ગંદકીની સમસ્યા પણ હલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

- text

- text