હળવદમાં કડીયાણા મામા મંદિરમાં તોડફોડ કરતાં ભાવિકોમાં ભારે રોષ

- text


હળવદ : હળવદના કડીયાણા ગામે આવેલા કડીયાણા મામા મંદિરમાં કોઈ આવરા તત્વોએ તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ બનાવને પગલે ભાવિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામમાં આવેલ વર્ષો જુના કડીયાણા મામા તરીકે ઓળખાતા મંદિરમાં મામા સાહેબની મૂર્તિનું મસ્તક આવારા તત્વો દ્વારા તોડવામાં આવેલ છે. આ મંદિરમાં તોડફોડ થઈ હોવાનો બનાવ સામે આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો અને મામા મંદિરમાં તોડફોડ કરીને ભાવિકોની લાગણીને ઠેસ પહોંચાડનાર આવરા તત્વોના આ હીન કૃત્યને વખોડી કાઢી આ બનાવમાં પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text

- text