વ્યાજખોરોથી પીડિત લોકો ડર્યા વગર પોલીસને જાણ કરે, કડક કાર્યવાહી કરીશું : એસપી

- text


 

મોરબી જિલ્લા પોલીસે વ્યાજંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનું બ્યુંગલ ફૂંકયું

મોરબી :મોરબી જિલ્લા પોલીસે વ્યાજંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનું બ્યુંગલ ફૂંકયું છે. આ મામલે જિલ્લા પોલીસ વડાએ પણ જનતા જોગ જણાવ્યું છે કે વ્યાજખોરોથી પીડિત લોકો ડર્યા વગર પોલીસને જાણ કરે, અમે કડક કાર્યવાહી કરીશું.

મોરબી જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ગઇકાલથી કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદોને આધારે ઊંચા વ્યાજે પૈસા દઈને પઠ્ઠાણી ઉઘરાણી કરતા 8 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી સતત ચાલુ જ રહેવાની છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોઈ પણ વ્યાજખોરોથી પીડિત લોકો નજીકના પોલીસ સ્ટેશન, કંટ્રોલ રૂમ અથવા એસપી કચેરીનો સંપર્ક કરે. વ્યાજખોરો સામે કડક પગલા લેવાશે. લોકો ડર્યા વગર આ અંગે પોલીસને જાણ કરે જેથી પોલીસ તેમની સામે કાર્યવાહી હાથ ધરી શકે.

- text