પ્રમુખ સ્વામી મહારાજનગરમાં BAPS અખાતી દેશ દિનની ઉજવણી

- text


 

વિશિષ્ટ વિડીયો પ્રસ્તુતિઓ ‘એક વિરલ કહાની’ અને ‘સ્ટોરી ઓફ પ્રેયર – ૧૯૯૭ ડેઝર્ટ ’ દ્વારા અખાતી દેશોમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિચરણ, મંદિર સંકલ્પ અને નિર્માણની ગાથાને દર્શાવાઈ

મોરબી : પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આજે BAPS અખાતી દેશ દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમાં સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. વિશિષ્ટ વિડીયો પ્રસ્તુતિઓ ‘એક વિરલ કહાની’ અને ‘સ્ટોરી ઓફ પ્રેયર – ૧૯૯૭ ડેઝર્ટ ’ દ્વારા અખાતી દેશોમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિચરણ, મંદિર સંકલ્પ અને નિર્માણની ગાથાને દર્શાવવામાં આવી.

સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. ૧૯૯૭માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આરબ ભૂમિ પર પધાર્યા ત્યારે તેઓએ અહી વસતા હિન્દુઓની ધર્મભાવનાને પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબ ભૂમિ પર ભવ્ય સંસ્કૃતિધામ મંદિરનું નિર્માણ થાય.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આરબદેશોની વિચરણયાત્રા દરમિયાન બાહરીનના રાજા શેખ અમીર ઈસા બિન સલમાન અલ ખલીફા, શારજાહ ના રાજવી પરિવારના શ્રી શેખ હામદ, મસ્કત ના રાજવી શેખ સૈયદ સૈફ બિન હામદ બિન સાઉદ અલ બુસાયદી તેમજ દુબઈના આરબ ઉમરવો સાથેની તેમની સ્નેહસભર મુલાકાતો સૌનાં દિલોદિમાગ પર અનોખો દિવ્ય પ્રભાવ પાથરી ગઈ છે.

વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં એપ્રિલ, ૨૦૧૯માં અબુધાબીમાં બી. એ. પી. એસ.હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. યુ. એ. ઇ. ની સરકારે પ્રારંભમાં આ મંદિરના નિર્માણ માટે અઢી એકર ભૂમિ ફાળવી હતી. શેખ અબ્દુલ્લા બિન ઝાએદ અલ નહ્યાને દિલ્લીના અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ અબુધાબીના  ક્રાઉન પ્રિન્સે  ૨૭ એકર ભૂમિનું દાન કર્યું હતું.

વર્ષોથી બાહરીનના રાજવી પરિવાર અને બી. એ. પી. એસ વચ્ચે ઘણી સદભાવના મુલાકાતો યોજાઇ હતી. અહી એક વિસ્તૃત હિન્દુ મંદિરની જરૂરિયાત છે તે અંગેની રજૂઆત બાદ, ભારત સરકાર અને બાહરીન સરકારના સંયુક્ત સહયોગથી બી. એ. પી. એસ મંદિર માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ છે.

આજના કાર્યક્રમમાં અશોકભાઇ કોટેચાએ અબુધાબીમાં નિર્માણાધીન મંદિરના ઇતિહાસ વિષયક વક્તવ્ય આપ્યું.બી. એ. પી. એસ. ના પૂ. પરમવંદન સ્વામીએ ‘ પ્રાર્થનાની શક્તિ’ વિષયક પ્રવચન કર્યું. ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ઓફ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ ‘ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ – બાહરીન કિંગ” પર વક્તવ્ય આપ્યું.

ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ટુ સ્ટોરી ઓફ  હાર્મની ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ ‘ સ્ટોરી ઓફ હાર્મની – વેલિંગ વૉલ ” પર વક્તવ્ય આપ્યું. ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ટુ સ્ટોરી ઓફ  ટ્રાન્સફોર્મેશન – શેખ નહયાન અને મહંત સ્વામી મહારાજ  ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ‘ સ્ટોરી એન્ડ પાવર ઓફ ટ્રાન્સફોર્મેશન” પર વક્તવ્ય આપ્યું.

આજની સભામાં આમંત્રિત મહાનુભાવો ડો. એસ જયશંકર, માનનીય વિદેશ મંત્રી -ભારત સરકાર, ડો. ડી વિરેન્દ્ર હેગડે, ધર્માધિકારી – શ્રીક્ષેત્ર ધર્મસ્થળ,કર્ણાટક, ઇલિયાસ અકબર અલી, ચેરમેન & સીઇઓ – ગ્રુપ સિપ્રોમેડ, મડાગાસ્કર, થોમસ પેરેઝ, પૂર્વ સેક્રેટરી ઓફ લેબર – યુએસએ, યોગેશભાઈ મહેતા, ફાઉન્નડર & સીઇઓ – પેટ્રોકેમ મિડલ ઈસ્ટ લિમિટેડ , યુએઇ, બકુલભાઇ મહેતા, મેનેજીંગ ડાયરેક્ટર , મસ્ક્ત ફાર્મસી એન્ડ સ્ટોર એલ એલ સી , ઓમાન , ડો. અમન પુરી, યુએઇ  ખાતે ભારતના કોનસુલ  જનરલ, મહામહીમ ડો. બસમ અલ ખાતીબ,ભારત ખાતેના સિરીયાના રાજદૂત, નજમ અલ કૂડસી, પૂર્વ સીઇઓ- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલ, રમેશ રામકૃશનન,  – ટ્રાન્સ વર્લ્ડ ગ્રૂપ ઓફ કંપની , યુએઇ, કે જી બાબુરાજન, ચેરમેન & જનરલ મેનેજર – બી કે જી હોલ્ડિંગ એસ.પી.સી , બાહરીન, મનીષભાઈ પટેલ, મેનજિંગ ડાયરેક્ટર – જીપ ગ્રૂપ , યુએઇ, આર રમેશ, મેનેજિંગ ડાયરેક્ટર – સેન્ટિ એકસકેવેશન & કન્સ્ટ્રક્શન ડબલ્યુ એલ એલ , બાહરીન, રાજેશ માલપાણી, ચેરમેન , માલપાણી ગ્રૂપ , ભારત, નંદન ઝા , એક્સિક્યુટિવ વાઇસ પ્રેસિડેંટ – પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા.

નિર્માણાધીન અબુધાબી બી. એ. પી. એસ. હિન્દુ મંદિરના ટ્રસ્ટી અશોક કોટેચાએ જણાવ્યું,“આજે પણ યાદ છે કે પ્રમુખસ્વામી મહારાજ  એપ્રિલ ૧૯૯૭ માં રણની વચ્ચે ગરમીમાં ઠાકોરજીને લઈને બેઠા હતા અને ભજન ચાલતું હતું. પછી પ્રમુખસ્વામી મહારાજે ધૂન શરૂ કરી અને બોલ્યા કે ‘વિશ્વમાં શાંતિ થાય , વિશ્વનાં દેશો વચ્ચે એકતા થાય  અને અંતે બોલ્યા કે અહી અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય’. આજે અબુધાબીમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે તેની પાછળ પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રમુખસ્વામી મહારાજે કરેલી પ્રાર્થના રહેલી છે.”

BAPSના પરમવંદન સ્વામીએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુપરંપરાના જીવનમાં પુરુષાર્થની સાથે ભગવાનની પ્રાર્થનાને પણ પ્રાથમિકતા આપી છે. આજે મહંતસ્વામી મહારાજનાના જીવનમાં પણ પ્રાર્થનાની પ્રાથમિકતા જોવા મળે છે અને તેઓ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નિયમિત પ્રાર્થના કરે છે. અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ આસ્થાનું સ્થાન છે તેની સાથે સૌહાર્દ અને સંવાદિતાનું કેન્દ્ર પણ છે. ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇજિપ્તની ધર્મયાત્રા માં ગયા હતા અને ત્યાં મ્યુઝિયમ ઓફ હિસ્ટરીમાં ઇજિપ્તના રાજાઓ માટે પ્રમુખસ્વામી મહારાજે તેમના કલ્યાણ માટે સ્વામિનારાયણ ધૂન કરી હતી.”

BAPS ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગરસ્વામીએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજને બાહરીનના રાજા એ કહ્યું હતું કે “તમે બાહરીન ને તમારું ઘર બનાવો અને વારંવાર આવતા રહો” અને ત્યાં પણ સરકારના કાયદા મુજબ હરિમંદિરની  મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ અને અત્યારે સંસ્થાને ૪ એકર જમીન મંદિર નિર્માણ માટે મળી છે.”

BAPS ના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપસ્વામીએ જણાવ્યું,“૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇઝરાયેલની વેલિંગ વોલ જોવા હતા હતા અને ત્યાં જઈને પ્રમુખસ્વામી મહારાજે ૨ ફૂલ પુષ્પો મૂકીને પ્રાર્થના કરી હતી.પ્રમુખસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કેમ ૨ પુષ્પો મૂક્યા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપતા કહ્યું કે , ” ૧ પુષ્પ અત્યાર સુધી તે સ્થળ પર આવેલા લોકો એ કરેલી બધી પ્રાર્થનાની પરિપૂર્તિ થાય અને બીજું પુષ્પ ભવિષ્યમાં આવનાર લોકો જે પ્રાર્થના કરે તેની પણ પરિપૂર્તિ થાય એવી ઉદ્દાત ભાવના પ્રમુખસ્વામી મહારાજની હતી.”

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલના પૂર્વ CEO, નજમ અલ કૂદસીએ જણાવ્યું,“આજથી ૧૦ વર્ષ પહેલાં મે પ્રમુખસ્વામી મહારાજના દર્શન અમદાવાદ સ્થિત શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કર્યા હતા એ દિવસ મારા માટે ખૂબ જ પુણ્યનો દિવસ હતો.પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વની મારા પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. અક્ષરધામ મંદિર હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજે આપેલો શાંતિ નો સંદેશો એ ખૂબ જ પ્રભાવક હતો. પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ એવો છે કે આજે સાઉદી અરેબિયામાં પણ લોકો હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને એ પી જે અબ્દુલ કલામ સાહેબની મિત્રતા અનોખી હતી.”

- text

સિપ્રોમેડ ગ્રુપ, માડાગાસ્કરના ચેરમેન & સીઇઓ ઇલિયાસ અકબર અલીએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું અને મહંત સ્વામી મહારાજના દર્શન કરવા મળ્યા એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત છું , અહીંની સ્વચ્છતા , પ્રબંધન , સમર્પણ વગેરે અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે આપણને શાંતિ , સંવાદિતા, ,ભલાઈ , પ્રેમ વગેરે ના પાઠ શીખવ્યા છે અને તે બધું આ નગરમાં જોવા મળે છે.

હું બાળકોને કહેવા માગું છું કે ,’પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને મૂલ્યો ક્યારેય ભુલતા નહી અને જો તેનું પાલન કરશો તો જીવનમાં ખૂબ જ આગળ વધશો.’ વિશ્વભરમાંથી આવેલા ૮૦,૦૦૦ સ્વયં સેવકોનું સમર્પણ જોઈને હું નતમસ્તક છું કારણકે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વગર આ શક્ય નથી. અબુધાબીમાં બની રહેલું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ પ્રમુખસ્વામી મહારાજનો વારસો છે અને આ મંદિર બે અલગ અલગ સંસ્કૃતિને એક મંચ પર લાવશે. પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ હુમલા પછી શાંતિ સંદેશો આપીને વિશ્વભરમાં માણસાઈનો સંદેશ પહોંચાડ્યો છે.”

ભારત ખાતેના સિરીયાના રાજદૂત ડો. ડો. બસમ અલ ખાતીબે જણાવ્યું,“આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવેલા માનવીય મૂલ્યોનું દર્શન કરીને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને પ્રમુખસ્વામી મહારાજે પ્રેમની ભાષા વિશ્વભરમાં લોકોને શીખવી છે.”

યુએઇ  ખાતે ભારતના કોનસુલ  જનરલ ડો. અમન પૂરીએ જણાવ્યું,“પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતા નો સંદેશો આપ્યો છે અબુધાબીમાં બની રહેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.”

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું,“અબુધાબીમાં પરંપરાગત હિન્દુ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજના પ્રાર્થના અને આશીર્વાદ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની ઇચ્છાશક્તિ વગર શક્ય નહોતું. ભગવાનની દયા હોય અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો આ દુનિયામાં કઈ જ અશકય નથી. અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ બે જુદી જુદી સભ્યતા , સંસ્કૃતિ , વિચારો , નાગરિકો વગેરેને વધુ નજીક લાવશે અને તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રાર્થના રહેલી છે. અબુધાબીની વિશાળ મસ્જિદમાં મહંત સ્વામી મહારાજ અને શેખ નહયાનનો ફોટો મૂકવામાં આવ્યો છે જે વિશ્વભરમાં સંવાદિતાનો સંદેશો આપે છે.પ્રમુખસ્વામી મહારાજ દરેક ધર્મો,દરેક દેશો,દરેક સભ્યતા,દરેક માણસોને જોડતા સેતુ સમાન હતા. સૂર્ય, પૃથ્વી, પાણી, આકાશ, પ્રકાશ આ પાંચ તત્વો સમગ્ર માનવજાત માટે છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર માનવજાત માટે જીવ્યા હતા. અબુધાબી અને બાહરીનમાં બનનાર સ્વામિનારાયણ હિન્દુ મંદિર છે દંતકથા સમાન છે. “

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું,“આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખવામાં આવે છે કારણકે તેઓએ ૫૦ થી વધુ દેશોમાં વિચરણ કર્યું છે , ૧૭,૦૦૦ થી વધુ ગામડાઓમાં વિચરણ કર્યું છે , ૧૨૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે ૭ લાખથી વધારે પત્રો લખીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે નાતજાત અને ઊંચનીચના ભેદભાવ વગર તમામ લોકોને અપનાવ્યા છે.આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન અને આશીર્વાદ મળ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. અબુધાબી માં બનનાર મંદિર પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને દિવ્યતાની શક્તિ છે.

ખાડી દેશોના બે મંદિરોનું નિર્માણ થવું એ ચમત્કારથી પણ મોટી વાત છે અને આવનારા વર્ષોમાં થાઇલેન્ડ , પેરિસ , સાઉથ આફ્રિકા , ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ BAPS મંદિરોનું નિર્માણ થશે એવું હું દ્રઢપણે માનું છું. દિલ્હી અક્ષરધામની ભવ્યતા , દિવ્યતા,શિસ્ત,પ્રબંધન વગેરે જોઈને હું ખૂબ જ અભિભૂત થયો હતો જે મારો બી.એ.પી.એસ સંસ્થા સાથેનો પ્રથમ પરિચય હતો.

બી.એ.પી.એસ સંસ્થાનું સ્વયંસેવક દળ અને તેમનું સમર્પણ , નિઃસ્વાર્થ સેવા તેમજ પ્રબંધન એ વિશ્વભરમાં લોકો માટે શીખવાનો વિષય છે. યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે અને તેની પાછળ પ્રમુખસ્વામી ની ભાવના “બીજા ના સુખમાં આપણું સુખ” ચરિતાર્થ થતી દેખાય છે.

સંવેદનશીલતા, સેવા, સમુદાય અને માનવતા આ ચાર આદર્શો આ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે.આધુનિકતા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય આ બી.એ.પી.એસ સંસ્થા અને તેના મંદિરોમાં જોવા મળે છે.વ્યક્તિગત સ્પર્શ એ પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થાની આગવી વિશેષતા છે. “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળે છે અને તે આજના વિશ્વમાં ખૂબ જ જરૂરી છે.”

શ્રીક્ષેત્ર ધર્મસ્થળ,કર્ણાટકના ધર્માધિકારી પદ્મશ્રી વીરેન્દ્ર હેગડેએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહાર્જની સાધુતા અને સાદગી ખૂબ જ અદ્ભુત હતી અને તેમાથી ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ પણ પ્રભાવિત થયા હતા. મુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકોનું સમર્પણ ખૂબ જ અદ્ભુત છે.”

પૂર્વ સેક્રેટરી ઓફ લેબર – યુએસએના થોમસ પેરેઝે જણાવ્યું, “પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ ખૂબ જ અદ્ભુત છે કારણકે કે તેમનું જીવન જ તેમનો સંદેશો હતો અને તેઓ સમગ્ર જીવન “બીજાના ભલામાં આપનું ભલું” એ ભાવના સાથે જીવ્યા છે. બીએપીએસ સંસ્થાએ અનેક કુદરતી આપત્તિઓમાં સમાજસેવા નું અનોખુ કાર્ય કર્યું છે તે ખૂબ જ પ્રશસનીય છે. અહીંના સ્વયંસેવકોએ માત્ર ભારતનું નહિ પરંતુ વિશ્વભરના ભવિષ્ય છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે અખાતી દેશોમાં કરેલું વિચરણ અને અથાગ પુરુષાર્થનું પરિણામ અબુધાબી નું મંદિર છે જે શાંતિનું ધામ બનશે અને બેનમૂન બનશે તેમજ બાહરીનમાં પણ અદ્ભુત મંદિર બનશે જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારશે. ભગવાન સૌનું ભલું કરે તે પ્રાર્થના કરીએ છીએ.

- text