મોરબીમાં આગામી રવિવારે વિવિધ વસ્તુઓનું રાહત દરે વિતરણ

- text


મોરબી : નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી તારીખ 8 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા દરમિયાન મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ ખાતે નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહત દરે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ પાઉડર, દરેક જાતના ગુલાબ, મોગરો, ચંપો, ગલગોટાના કલમી રોપા, દેશી ગાય આધારિત ખાતર, કોકો પીટ ખાતર, કાળી માટીના રસોઈ બનાવવા માટે હાથેથી બનાવેલી તાવડી, પાટીયા, ફૂલ છોડના કુંડાનું વેચાણ કરાશે. સાથે જ હરીપર ભુતકોટડાની જાનકી મીની ઓઈલ મીલનું શુદ્ધ સિંગતેલ, કાળા-સફેદ તલની સાની, કાળા-સફેદ તલનું તેલ પણ મળશે. વધુ માહિતી માટે ચંદુભાઈ ભાગીયા હરીપર મો.નં. 9909875185 અથવા પ્રમુખ વી .ડી.બાલા રાજકોટ મો.નં. 9427563898 અથવા લવજીભાઈ પ્રજાપતિ મોરબી મો.નં. 9925369465નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text