જોધપર નદી ગામે પરપ્રાંતીય યુવાનનો લીમડાના ઝાડે લટકી આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે પરપ્રાંતીય શ્રમિક યુવાને લીમડાના ઝાડ ઉપર લટકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે મનસુખભાઇ પટેલના ઘર સામે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં લીમડાના ઝાડ ઉપર લટકી લઈ શંકરભાઇ નમીભાઈ સાહની ઉ.20 રહે. હાલ કાલ શિવ સેતુ પોલીપેક, મૂળ રહે.ઉત્તરપ્રદેશ રાજ્ય નામના યુવાને આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text