બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા 8મીએ ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ

- text


 

મોરબી : બગથળા સોશિયલ ગ્રુપનો 27મો વાર્ષિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી તા.8 ને સાંજે 3:30 કલાકે ઘુનડા રોડ પર આવેલ ગોકુલ ફાર્મ ખાતે રાખવામાં આવેલ છે.

બગથળા સોશિયલ ગ્રુપ 27 વર્ષથી કાર્યરત છે. જેમાં તમામ લોકો નાત જાતનાં કોઈ ભેદભાવ વગર સાથે મળીને પ્રોગ્રામ ઉજવે છે. 8મીએ આયોજિત કાર્યક્રમમાં બગથળા નકલંક મંદિરનાં મહંત દામજી ભગત દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે. તો સૌ બગથળાનાં વતની અને મોરબીમાં રહેતા હોય તે સૌ લોકોને પધારવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું સફળ સંચાલન આરતીબેન રોહનભાઇ રંકાજા દ્વારા કરવામાં આવશે.તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text