ટંકારા જૈન સમાજના અગ્રણીઓએ સામાજિક કાર્યકરનું સન્માન કર્યું

- text


ટંકારા : ટંકારા શહેરની મકરાણી શેરીમાં રહેતા જૈન સમાજના અગ્રણીઓ દ્વારા “સર્વજન હિતાય સર્વજન સુખાય”ની ભાવનાથી સામાજિક પ્રવૃત્તિ કરતા સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાનું જૈન ધર્મની પરંપરા અનુસાર સન્માન કરવામાં આવ્યું હતું.

ટંકારામાં રહેતા હેમંતભાઈ ચાવડા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોતાના સમાજ ઉપયોગી કાર્યને કારણે ખુબ જાણીતા છે. સહજ, સરળ અને શાંત સ્વભાવ ધરાવતા હેમંતભાઈ હમેશાં સમાજના સર્વજનને ઉપયોગી કાર્ય કરતા હોય છે ત્યારે મૂળ ટંકારા નિવાસી જૈન સમાજના કુટુંબી માતાજી મંદિરે આવ્યા હતા અને જૈન સમાજના અગ્રણીઓએ હેમંતભાઈ ચાવડાનું સન્માન કરીને તેઓની કામગીરીને બિરદાવી હતી.

- text

- text