પાણી ભરવા જતા સગીરાને કાળ આંબી ગયો

- text


હળવદ નજીક નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલ સગીરાનું ડૂબી જતાં મોત

હળવદ : હળવદ નજીક નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેતમજૂરી કરતી સગીરાનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું. નર્મદા કેનાલમાં પાણી ભરતી વખતે પગ લપસ્તા આ કરુણ ઘટના સર્જાઈ હતી.

હળવદ તાલુકાના અજિતગઢ અને માનગઢ વચ્ચે નીકળતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં હળવદના અજીતગઢ ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના ખેત મજૂર પરિવારની ઉજલીબેન ગુમાનભાઈ ધાનક ઉ.વ.16 નામની સગીરા આજે બપોરે પાણી ભરવા ગઈ હતી. ત્યારે પગ લપસી જતા આ સગીરા કેનાલના ઉડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. બાદમાં તેમની બે કલાકની શોધખોળના અંતે આ સગીરાનો કેનાલમાંથી મૃતદેહ જ હાથ લાગ્યો હતો. ઘટના બાદ સગીરાના મૃતદેહને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ કરુણ બનાવને પગલે ખેતમજૂર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- text

- text