- text
મોરબી : આજ રોજ 30 નવેમ્બરના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આજ રોજ મોરબીમાં સામાજિક કાર્યકર્તા દ્વારા 11 કુંડી ગાયત્રી હવન યોજાયો હતો.
ઝૂલતા પુલના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ 30 નવેમ્બરના રોજ જાગૃત મહિલા ગ્રુપ અને સામજિક કાર્યકર સતીશભાઈ દ્વારા મોરબીના એવન્યુ પાર્ક શેરી નં. 3ના સાર્વજનિક પ્લોટ ખાતે 11 કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 થી 10-30 વાગ્યા સુધી ગાયત્રી પરિવાર મોરબી તથા વાંકાનેરના સહયોગથી આ ગાયત્રી હવન યોજાયો હતો. જેમાં યજમાનોએ હવનમાં આહૂૂતિ આપીને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
- text
- text