વાંકાનેરના વીડી જાંબુડીયામાં 4 અને 5મીએ મેલડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


વાંકાનેરઃ આગામી તારીખ 4 અને 5 ડિસેમ્બર એમ બે દિવસ તાલુકાના વીડી જાંબુડીયા ગામે મેલડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

વીડી જાંબુડીયા ગામે કેયળાવારી મેલડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તારીખ 4 ડિસેમ્બરના રોજ દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, પુણ્યાવાચન, ગ્રહશાંતિ, નગરયાત્રા, ધાન્યાધિવાસ, માંડલુ સહિતના કાર્યક્રમો યોજાશે જ્યારે 5 ડિસેમ્બરના રોજ સ્થાપિત દેવપૂજન, સ્થાપન વિધિ, રાજોપચાર પૂજા, પ્રાણ પ્રતિષ્ઠા, સ્થાપિત હોમ, બલીદાન, બીડું હોમવા જેવા કાર્યક્રમો યોજાશે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી આશીષભાઈ પંડ્યા બિરાજશે. બન્ને દિવસ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તારીખ 4 ડિસેમ્બરે રાત્રે 9-30 કલાકે યોજનારા માંડલુમાં રાવળદેવ ભવદીપભાઈ રાવળ ઉપસ્થિત રહેશે. જ્યારે 5 ડિસેમ્બરે યોજાનારા સંતવાણી કાર્યક્રમમાં ભજનીક લખનભાઈ ઠાકોર, ભજનીક ટીલાભગત મગવાનીયા, સાહિત્યકાર ગોવિંદભા ગઢવી અને હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી ઉપસ્થિત રહેશે અને વાસુકી સાઉન્ડના સથવારે ભજન અને હાસ્યની રમઝટ બોલાવશે.

- text

- text