યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

- text


શાળાના બાળકોને બંધારણ વિશે માર્ગદર્શન આપી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવ વંદના કરી

મોરબી : મોરબીમાં જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરોએ શાળાના બાળકોને બંધારણ વિશે માર્ગદર્શન આપી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ એટલે કે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રાથમિક શાળામાં ભારતીય સંવિધાન વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી તેમજ સંવિધાન અંતર્ગત લખેલા નાગરિક કર્તવ્યો અને જવાબદારીઓનુ સંપૂર્ણ પાલન કરી બાબા સાહેબના આધુનિક ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

- text

 

- text