15 ડિસેમ્બરથી શરૂ થનારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોની ભરમાર

- text


 

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સતત 30 દિવસ સુધી યોજાશે રંગારંગ કાર્યક્રમો

15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે, અમદાવાદમાં જાજરમાન આયોજન

મોરબી: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ – પ્રમુખસ્વામી મહારાજ નગર ગૂંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં નિત્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો, વિદ્વાનો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં મુખ્યત્વે વિવિધ વિષયના કાર્યક્રમો યોજાશે જેની સૂચિ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ જાહેર કરી છે. જે મુજબ 14 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે, 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે, 16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન, 18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન, 19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન, 20 ડિસેમ્બરે સંવાદિતા દિન, 21 ડિસેમ્બરે સમરસતા દિન, 22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન, 23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન, 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન, 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન, 26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન, 27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન, 28 ડિસેમ્બરે સેવા દિન, 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન, 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન, 31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન, 1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના, 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન, 3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન, 4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન, 5 જાન્યુઆરીએ મહિલા દિન-1, 6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન, 7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન, 8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન, 9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન, 10 જાન્યુઆરીએ મહિલા દિન-2બ, 11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન, 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન, 13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના અને 15 જાન્યુઆરીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે.

- text

- text