- text
કાનાભાઈને ફોન આવી ગયો : સમર્થકોમાં ખુશીની લહેર
મોરબી : 65 – મોરબી માળીયા બેઠક માટે ભાજપ દ્વારા ફરી કાંતિલાલ અમૃતિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયા 1995, 1998, 2002, 2007, અને 2012મા 5 વખત આ બેઠક ઉપર વિજેતા રહ્યા બાદ 2017માં હાર્યા હતા જે બાદ ભાજપ છાવણીમાં આવેલા બ્રિજેશ મેરજા અહીં વિજેતા બનતા તેઓને મંત્રી બનવવામાં આવ્યા હતા અને અંતે 2022મા કાંતિલાલને ફરી મોકો અપાતા તેઓ બમણા જોશ સાથે મેદાનમાં આવ્યા છે.
- text
કાંતિલાલ અમૃતિયા વિશાળ સમર્થકો ધરાવે છે. અને મોરબીના મતદારોની પણ માંગ હતી કે કાનાભાઈ જોઈએ પાછા. અને અંતે ભાજપે કાનાભાઈને ફરીથી મેદાનમાં ઉતારતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે
- text