માળીયાના વિશાલનગરમાં જર્જરિત વિજપોલ બદલવાની રજુઆત

- text


વિજપોલ જર્જરિત હોવાથી અકસ્માત થવાની ભીતિ

મોરબી : માળીયાના વિશાલનગર (નવું સુલાતનપુર) ગામે વિજપોલ જર્જરિત હોવાથી જોખમી બની ગયા છે. જર્જરિત વિજપોલને કારણે અકસ્માત થવાની ભીતિ હોવાથી તટકીદે આ વિજપોલ બદલવાની માંગ સાથે વીજ તંત્રને રજુઆત કરવામાં આવી છે.

માળીયાના વિશાલનગર (નવું સુલાતનપુર) ગામે રહેતા વિડજા ભાવેશભાઈ અશોકભાઈએ પીપળીયા ચાર રસ્તા પાસેની પીજીવીસીએલ કચેરીમાં રજુઆત કરી હતી કે, માળીયાના વિશાલનગર (નવું સુલાતનપુર) ગામે આવેલા ચારથી પાંચ વિજપોલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ વિજપોલ ફાટી ગયા હોવાથી જોખમી બની ગયા છે. આથી જર્જરિત વિજપોલને કારણે કોઈ અકસ્માત થવાની પણ ભીતિ છે. જો કે ઘણા સમયથી વિજપોલ જોખમી હોય અને આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા ફરી રજુઆત કરીને આ દસ દિવસમાં જર્જરિત વિજપોલ બદલવામાં નહિ આવે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનું જણાવ્યું છે.

- text

- text