- text
વાલીવારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ગત તા.27ના રોજ કોઈ દલપતભાઈ કનુભાઈ રાવલ પુરુષ ઉ.65 બીમારી સબબ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ અને તા.2ના રોજ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.
- text
વધુમાં મરણ જનાર પુરૂષ ઉ.65 વર્ષનો શરીરે પાતળો બાંધો વાને ઘઉવર્ણ, માથાના ભાગે ટાલ તથા ટૂંકા કાળા વાળ તથા રાખોડી કલરનો લીટી વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ મોઢામાં ઉપરના ત્રણ દાત પડી ગયેલ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એસ.મેસવાણીયાના મો.નં.9904713247 અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- 02822-230188નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.
- text