- text
પાપ છુપાવવા કોઈ અજાણી સ્ત્રી બાળકીને અગાસીમાં છોડી જતા 108 મારફતે વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડાઇ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખેડૂતના ઘરની અગાસી ઉપરથી એક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ બાળકીનો જીવ બચાવવા 108 મારફતે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખેડૂતના ઢોર બાંધવાના એકઢારીયા ઉપરથી એક બિનવારસી તાજી જન્મેલી જીવતી બાળકી મળી આવી હતી. ગામના યુવા આગેવાન ઇલ્મુદીન દેકાવડીયાને આ બાબતની જાણ થતા તુરત જ 108 અને પોલીસને જાણ કરી હતી. હાલ આ બાળકીને 108ના ઇએનટી દિનેશભાઇ ગઢદરા અને પાઇલોટ હાર્દિકસિંહ પરમાર દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેવામાં આવી છે.
- text
નિષ્ઠુર જનેતા દ્વારા પાપ છુપાવવા માટે ખેડૂતના ઘરની અગાસી ઉપર તાજી જન્મેલ બાળકીને ત્યજી દેવાતા ફિટકાર વરસી રહ્યો છે અને સમગ્ર મામલે પોલીસે પણ છાનબીન શરૂ કરી છે.
- text