માળીયા નજીક બસ હડફેટે અંદાજે 50 જેટલા ઘેટાના મોત

- text


માળિયા : માળિયા નજીક સુરજબારી પુલ ઉપર એસટી બસની હડફેટે અંદાજે 50 જેટલા ઘેટાના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર માળીયા નજીક આવેલ સૂરજબારી પુલ પર દાહોદ – ભુજ – કચ્છ રૂટની GJ 18 Z 8031 નંબરની એસટી બસ હેઠળ વેહલી સવારે પસાર થઈ રહી હતી. ત્યારે ઘેટાનું ટોળું બસની હડફેટે ચડ્યું હતું. આ અકસ્માતમાં અંદાજે 50 જેટલા ઘેટાઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી માલધારી પરિવારોમાં શોક વ્યાપી ગયો છે.

- text

- text