વાવડી રોડની સોસાયટીઓમાં અશાંતધારો લાગુ નહિ પડે તો ચૂંટણીનો બહિષ્કાર!

- text


 

સોસાયટીઓના રહીશોની રજુઆત, આચારસંહિતા પૂર્વે કાર્યવાહીની માંગ

મોરબી : મોરબીના વાવડી રોડ પરની સોસાયટીઓમાં અશાંતધારો લાગુ નહિ પડે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે. આ કાર્યવાહી આચારસંહિતા પૂર્વે કરવાની માંગ ઉઠાવાઈ છે.

- text

મોરબીના વાવડી રોડ પરની સોસાયટીઓના રહીશો વતી પ્રશાંતભાઇ મહેતાએ જણાવ્યું હતું કે કુબેર સોસાયટી , જનક સોસાયટી, રવિ સોસાયટી, નંદનવન સોસાયટી, ગાયત્રી સોસાયટી, મીરા સોસાયટી, વિશ્વનાથ કો.ઓપ.સોસાયટી સહિતની સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આ માંગ આચારસંહિતા પૂર્વે નહિ સંતોષાય તો અહીના સ્થાનિક મતદારો મતદાનનો બહિષ્કાર કરશે.

- text