મોરબીના શહેર ભાજપ પ્રમુખના ઘેર ગણેશજીને 56 ભોગ ધરી વિસર્જન

- text


મોરબી : આજ લોકો ગણેશજીનું ધામ ધૂમથી વિસર્જન કરાયું છે ત્યારે શહેર ભાજપ પ્રમુખના નિવાસસ્થાને બિરાજમાન ગણપતિ દાદાને 56 ભોગ ધરી મહાઆરતી કરી ભાવભેર વિદાય આપી વિસર્જન કરાયું હતું.

મોરબીના શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના ઘરે પાછલા ઘણા વર્ષોથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણપતિદાદાની સ્થાપના કરી આજે મહોત્સવના છેલ્લા દિવસે તેમના ઘરે ગણપતિજીને 56ભોગનો થાળમાં ધરી મહાઆરતી બાદ અગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે દાદાને ભાવભેર વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યુ હતું.

- text

- text