માળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય આપવા માંગ

- text


ભાવસર સેવા સહકારી મંડળીએ રાજ્યમંત્રીને રજુઆત કરી

માળિયા(મી.) : આ વર્ષે મોરબી જિલ્લામાં સતત વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો છે. જેથી માળીયા તાલુકાના ગામડાઓને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારે જાહેર કરેલ સહાય આપવા માળીયા અને ભાવસર સેવા સહકારી મંડળીએ રાજ્યમંત્રીને રજુઆત કરી છે.

ભાવસર સેવા સહકારી મંડળી અને માળીયા(મી.) તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રજુઆત કરતા જણાવ્યું છે કે, હાલમાં છેલ્લા દોઢેક માસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકામાં પણ વધુ પ્રમાણમાં વરસાદ ખેડૂતોનું વાવેતર સંપુર્ણ નાશ પામવાને આરે છે. ખેડૂતોએ પોતાના હાથ પરની બચત મોંઘા ખાતર બિયારણ પાછળ સારી આશાએ ખર્ચ કરેલ હોય પરંતુ તેની સામે વળતર મળવાની આશા નહીંવત હોય.ખેડુતોની હાલત કફોડી બની હોવાનું જાણવાયું છે.

આ સંજોગોમાં ખેડૂતોની મદદે આગળ આવી સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે થયેલ નુકશાનની સર્વે કામગીરી હાથ ધરી ખેડૂતને આ આવી પડેલ કુદરતી મુશ્કેલીના સમયમાં તેમના નુકશાનનું વળતર સમયસર મળી રહે અને ખેડૂતો પોતાની આજીવિકા ટકાવી શકે તે માટે ખેડુતોની મદદે આવવા માળીયા(મી.) તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ભાવસર સેવા સહકારી મંડળીએ અંતમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરી હતી.

- text

- text