સો ઓરડી વિસ્તારમાં રામદેવપીરનો ઉત્સવ ઉજવાયો

- text


 

 

આ પ્રસંગે કાઉન્સિલર અને પૂર્વ કાઉન્સિલરનું સન્માન

મોરબી : મોરબીના સો ઓરડી મેઈન રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે છેલ્લા ૪૭ વર્ષથી રામદેવપીર ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ઉત્સવ પ્રસંગે આજરોજ 6 સપ્ટેમ્બરે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 47 વર્ષથી રામદેવપીર મહારાજનો શ્રી રામદેવપીર યાત્રા વરઘોડો સો ઓરડી વિસ્તારમાં મેઈન રોડ ઉપર ફરી અને મંદિરમાં આવે છે. ત્યારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી સતત સેવાની ભાવનાથી કાર્યરત મોરબી નગરપાલિકાના આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા તેમજ હાલના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાનું રામદેવપીર મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text