મોરબીના જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરનો બીજો પાટોત્સવ ઉજવાયો

- text


 

મોરબી: જીવાપર (ચ) ગામના આંગણે રામદેવપીર મંદિરનો બીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પાટોત્સવમાં મોટી સંખ્યામાં ગામના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ પ્રસંગે રામદેવપીર મહારાજનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન જીવાપર (ચ) ગામના સરપંચ રાયમલભાઈ તથા ગૌતમભાઈ, રસિકભાઈ, રાજેશભાઈ અને અલખધણી ગ્રુપ જીવાપર (ચ)ના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

- text