- text
માળીયા (મી.): ખાખરેચી પાંજરાપોળ ગીર સાંઢ માટે અલગથી બની રહેલા શેડ માટે રોહીશાળા યુવક મંડળ તરફથી 1,01,000 રૂપિયાનું રોકડ દાન મળ્યું છે. અગાઉ પણ રોહીશાળા યુવક મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળમાં ધાસ તેમજ અવારનવાર રોકડ રૂપિયાનું દાન મળ્યું હતું. ત્યારે આ તકે ખાખરેચી પાંજરાપોળ વતી ટ્રસ્ટી મનુભાઈ કેલાએ રોહીશાળા ગામ તેમજ યુવક મંડળના સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
- text
- text