વાંકાનેર : પતાળીયા પુલથી સેવાસદન સુધીનો બિસ્માર રસ્તો સ્વખર્ચે રીપેર કરાવતા કોંગી અગ્રણી

- text


વાંકાનેર : વાંકાનેરના પતાળીયા પુલથી સેવાસદન સુધીનો રસ્તો અતિ બિસ્માર હોય જે કોગી અગ્રણી ઈરફાન પીરજાદાએ સ્વખર્ચે રીપેર કરાવ્યો છે.

પતાળિયા પુલથી સેવાસદન સુધીના ખખડધજ્જ રસ્તા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કામગીરી નહીં કરાતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદાએ આ રસ્તો સ્વખર્ચે રીપેર કરાવ્યો છે. રાજા કેટલફીડ – રાજા વડલાના સહયોગથી વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ આબિદ ગઢવારાની ઉપસ્થિતિમાં મોરમ નાખી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું.

- text

- text