હરિયાણા અને હિમાચલના સાંસદો મહર્ષિ જન્મસ્થળની મુલાકાતે

- text


ટંકારા : હરિયાણા અને હિમાચલ રાજ્યના 9 સાંસદ અને પાંચ સચિવો શનિવારે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારાની મુલાકાતે આવ્યા હતા.

ટંકારાની મુલાકાતે આવેલા હરિયાણા અને હિમાચલ રાજ્યના 9 સાંસદ અને પાંચ સચિવોએ ઐતિહાસિક ઋષિની પાવન ભૂમિ પર હિન્દી ભાષા અને ઈતિહાસ બાબતે ગુરૂકુલ આચાર્ય રામદેવજી સાથે ચર્ચા કરી હતી. સાંસદો અને સચિવો ઉપરાંત સાથે રહેલી ટીમે ટંકારા પધારી ધન્યતા અનુભવી ગુરૂકુલ પરંપરા અને ટ્રસ્ટની કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવી હતી.

- text

- text