મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો

- text


મોરબીઃ મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ પ્રથમ વખત સમાજનો પારિવારીક સ્નેહમિલનનો ભવ્ય જાજરમાન સમારોહ શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધો. ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિલ્ડ અને શિક્ષણ ઉપયોગી વસ્તુઓની ભેટ અર્પણ કરાઈ હતી. ભગવા ગ્રુપે યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું.

વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમમાં સોમગીરી પ્રભાતગીરી રાજકોટ (નિવૃત્ત પીએસઆઈ, રાજકોટ) તેમજ ચેતનગીરી (વાંકાનેર), ડો. મનીષગીરી કાંતિગીરી, રાજકોટ, કરણપુરી લક્ષ્મણપુરી ભાણવડ, હસુબાપુ(ભગવા ગ્રુપ રાજકોટ) સંત બાપુ બુદ્ધગીરી બાપુ, પાનાપતી મહંત પંચ દશનામ જુના અખાડા જૂનાગઢ, ભાવેશ્વરીબેન મહંત રામધન આશ્રમ મોરબી, સહિત મોરબી વાંકાનેર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી સંતો-મહંતો, ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. સૌ મહેમાનોએ સન્માનિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસ્થિત વાલીઓને બાળકોને વધુને વધુ શિક્ષણ અપાવી સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ મેળવી ઉચ્ચ પદ પર બિરાજીત થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. સમાજ વધુ ને વધુ સંગઠીત બનાવવા અપીલ કરવામાં આવી હતી.

આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી, મંત્રી નિતેશગીરી સંજયગીરી, તેમજ દેવેન્દ્રગીરી,અક્ષયગીરી, એડવોકેટ હાર્દિકગીરી દિલીપગીરી, પૂર્વ પ્રમુખ અમિતગીરી સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.તેમજ પ્રથમ વખત સમાજનો પારિવારીક સ્નેહમિલનનો ભવ્ય જાજરમાન સમારોહ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધો. ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિલ્ડ અને શિક્ષણ ઉપયોગી વસ્તુઓની ભેટ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ભગવા ગ્રુપે યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું.

- text

- text