મોરબી ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક નિવૃત્તિ થતા વિદાયમાન અપાયું

- text


મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષકની સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.શાળા પરિવાર તરફથી તેમને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ નિવૃત્ત થતાં શિક્ષકે શાળાને વોટર કૂલર ભેટ કર્યું હતું.

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ ત્રિભોવનભાઈ વિડજાએ તા.31ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં તેમનો વિદાય સન્માન સમારંભ શાળા પરિવાર તરફથી આજરોજ તા.1ના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં સીઆરસી કો.ઓર્ડિનેટર રમેશભાઈ હુંબલ, તાલુકા શાળાનાં આચાર્ય પુષ્પાબેન સોલંકી, ગૌશાળા પ્રાઠામિક શાળાના નિવૃત્ત આચાર્ય પ્રફુલભાઈ જોષી, નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ ગોંડલિયા હાજર રહ્યા હતા.

શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાધેલા, વિદ્યાર્થિની વૈભવી નાગલાણી અને વિદ્યાર્થી તીર્થ સવાડિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. ઉપસ્થિત સર્વે મહેમાનોએ વિદાયમાન શિક્ષકનું હવે પછીનું શેષ જીવન આરોગ્યમય, દીર્ઘાયુ અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને ચંદુલાલ વિડજાને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું. ચંદુલાલ ત્રિભોવનભાઈ વિડજાએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી બ્લ્યૂ સ્ટાર કંપનીનું રૂ.11000ની કિંમતનું વોટર કૂલર શાળાને ભેટ આપ્યું હતું. ક્રાર્યકમનુ સંચાલન સંજય બાપોદરિયાએ કર્યું હતું.

- text

- text