- text
Morbi: વાવડીના કર્મયોગી આશ્રમના જયરાજનાથજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનિર્માણ માટે મતદાન કરીને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે સંસારનું મમત્વ મુક્યુ પણ મતદાન કરી દેશ અને લોકશાહીને મજબૂત કરવા સૌને હાકલ કરી.જયરાજનાથજીએ મતદાન કરીને કહ્યું હતું કે, મેં મારા મતનો ઉપયોગ રાષ્ટ્રના ઉત્થાન માટે, રાષ્ટ્રધર્મની સ્થાપના માટે કર્યો છે, તમે પણ મતદાન કરજો.
- text
- text