મોરબી જિલ્લાના ટીબીના સાત દર્દીઓને પોષણક્ષમ આહાર માટે દત્તક લેતું ટ્રસ્ટ

- text


મોરબી : કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જિલ્લા ક્ષય કેન્દ્ર હેઠળના ટી.યું. માળીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સાત ટીબીના દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે છ માસ સુધી સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/રાજકોટ તરફથી દતક લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ-2025 સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને મોરબી જિલ્લો નીતિ આયોગમાં આકાંક્ષી જિલ્લો હોય જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સાત ટીબીના દર્દીને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ છ મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.

- text