મોરબીમાં ફિજીયોથેરાપીમાં હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ માટે 28મીએ ફ્રી કેમ્પ

- text


શાંતિ ફિજીયોથેરાપી ક્લિનિકના 21માં વર્ષમાં પ્રવેશ નિમીતે કેમ્પ યોજાશે

મોરબી : શાંતિ ફિજીયોથેરાપી ક્લિનિક”ના 21માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિતે હોસ્પિટલના સ્ટાફના પરિવાર માટે આગામી તા.28ને ગુરુવારના રોજ ફિજીયોથેરાપી કેમ્પ વિનામૂલ્યે યોજવામાં આવ્યો છે.

- text

શાંતિ ફિજીયોથેરાપી ક્લિનિકના ડો.ભાવેશ ઠોરિયા દ્વારા ર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા બજાવતા તેમજ મહેનત અને નિષ્ઠાથી સેવા આપતા નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પીટલમાં અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવતા દરેક હોસ્પિટલ કર્મચારીઓને લક્ષ્યમાં રાખી તેમના અને તેમના પરિવારજનો માટે ખાસ ફિજીયોથેરાપી કેમ્પનું આયોજન કરાયું હોય તમામ સ્ટાફમિત્રોએ આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.આ કેમ્પમાં ખભા,ગોઠણ,એડી કે હાથનો દુખાવો ,તંબાકુના લીધે જકડાઈ ગયેલ મોં ની તકલીફ,ફેકચર,સાંધા જકડાઈ જવાની તકલીફ,હાથ-પગ તથા મોઢાનો લકવો વગેરે માટે સચોટ નિદાન તેમજ કાળજી વિષે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આ ઉપરાંત સતત દર્દીઓના નિકટ સંપર્કમાં રહેવાના લીધે થતી શ્વસન સંબંધી બીમારીઓ અટકાવવા માટે બ્રિથિંગ કસરત પણ શિખવાડવામાં આવશે.

- text