મોરબી જિલ્લાની 585 શાળાઓમાં 1લી ઓગસ્ટના રોજ ભારતમાતાનું પૂજન કરાશે

- text


જિલ્લા મહાસંઘની વિસ્તૃત કારોબારી બેઠક મળી : તાલુકા-જિલ્લા ટીમમાં નવા હોદેદારોની વરણી કરાઇ

મોરબી : મોરબી કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા બેઠકમાં સ્વતંત્રતા કા અમૃત મહોત્સવની ઉજવણી માટેનું સાહિત્ય વિતરણ કરાયું અને જિલ્લા તાલુકા ટીમમાં નવા હોદેદારોની વરણી કરાઈ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં 1લી ઓગસ્ટના રોજ ભારતમાતા પૂજન માટે ડીપીઈઓ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેથી ભારતમાતા પૂજન કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ સદસ્યતા અભિયાન તેમજ 75 માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આગામી 1લી ઓગસ્ટના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની બે લાખ શાળાઓમાં અને ગુજરાતની 25000 હજાર શાળાઓમાં અને મોરબીની 585 શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનો હોય જેના માટે ભરતમાતાનો ફોટો, સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી શાળાઓમાં સ્વતંત્રતાના 75 શૂરવીરો પુસ્તક અર્પણ કરવામાં આવનાર છે.કાર્યક્રમની સમજ આપતા હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘે જણાવ્યું કે 1લી ઓગસ્ટના રોજ તમામ શાળાઓમાં પ્રાર્થનાસભામાં ભારતમાતાનું પૂજન કરવું,આરતી ઉતારવી,ભારતમાતાની આરતી ગાવી,વગાડવી,ગામમાં કોઈ સ્વતંત્રતા શહીદ પરિવાર કે સૈનિક પરિવાર રહેતો હોય તો શાળામાં બોલાવી એમનું સન્માન કરવું, સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થી,શિક્ષક અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જિલ્લા મહાસંઘની વિસ્તૃત કારોબારી બેઠકમાં તાલુકા-જિલ્લા ટીમમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં કરશનભાઈ ડોડીયા કો.ઓર્ડીનેટર સી.આર.સી. મેરૂપર-હળવદ,કિરીટભાઈ દેકાવડીયા મોરબી,રાજેશભાઈ રાઠોડ માળીયા અને હસમુખભાઈ પરમાર વાંકાનેરની રાજ્યના પ્રીતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવેલ,હળવદ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે વાસુદેવભાઈ ભોરણીયા અને મંત્રી તરીકે રાજુભાઈ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી અને ધીરજલાલ જાકાસણીયા મોરબી, સુરેશભાઈ પરમાર,નિરવભાઈ બાવરવા,રણજીતભાઈ કટેસિયા વાંકાનેર નટુભાઈ પટેલ, અનિલભાઈ વાઘેલા હળવદ, રાજુભાઈ મેરા ટંકારા વગેરેને જિલ્લા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

- text

કૌશિકભાઈ શેરસિયા પોલીસ લાઈન તાલુકા શાળા, અંકિતભાઈ જોષી રંગપર તાલુકા શાળા,જીજ્ઞેશભાઈ રાબડીયા જેતપર તાલુકા.શાળા,સુરેશભાઈ પટેલ ચાંચાપર તાલુકા શાળા વગેરેને મોરબી તાલુકા ટીમમાં અને દેવાયતભાઈ ગરચર આચાર્ય ભૂતકોટડા શાળા, નીતિનભાઈ નમેરા હડમતીયા તાલુકા શાળાના દિનેશભાઈ ગોસરા સાવડી સરૈયા,રાજેશભાઈ કાસુંદ્રા લજાઈ તાલુકા શાળાના વિજયભાઈ ગોસરા બંગાવડી તાલુકા શાળા વગેરેની ટંકારા તાલુકા ટીમમાં સમાવેશ કરવામાં આવતા તમામનું શુભાષબાબુ પર લખેલ પુસ્તક આપી અભિવાદન કરવામાં આવ્યું હતું અને સંગઠનમાં હરખભેર આવકારવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ જિલ્લા ટીમ-મોરબી હરદેવભાઈ કાનગડ અધ્યક્ષ માળીયા અને ઉપાધ્યક્ષ મોરબી ટીમ,કિરીટભાઈ દેકાવડીયા પ્રતિનિધિ રાજ્ય ટીમ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યા હતા,.કિરણભાઈ કાચરોલા મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબીએ આભાર દર્શન દ્વારા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

- text