ઘુંટુની નવસર્જન વિદ્યાલયમાં ગુલાબના છોડ અને શ્રીમદ ભગવત ગીતાનું વિતરણ કરાયું

- text


મોરબીઃ ઘુંટુ ગામની નવસર્જન વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળા પરિવાર તરફથી એક-એક ગુલાબનો છોડ આપવામાં આવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતા આપવામાં આવી હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ સાથે વિદ્યાર્થીઓમાં વૃક્ષ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય, વૃક્ષોનું જતન થાય તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો ઉજાગર થાય તેવા ઉમદા હેતુથી નવસર્જન શાળા પરિવાર તરફથી મૂલ્યલક્ષી કેળવણીની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

- text

- text