- text
મોરબી : આવતિકાલ તા.૨૦ના રોજ એક દિવસ માટે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબી પધારશે. સવારે ૫ કલાકે ગાંધીનગરથી મોરબી જવા રવાના થશે. સવારે ૮:૩૦ કલાકે ગાળા ગામે આગમન અને વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં સામેલ થશે. સવારે ૯:૩૦ કલાકે મોરબી(ગ્રામ્ય) ભાજપા પદાધિકારીઓ સાથે ભગવતી હોલ બાયપાસ રોડ,મોરબી ખાતે બેઠક કરશે.
- text
ત્યાર બાદ બપોરે ૩:૩૦ કલાકે સરવડ ખાતે આગમન અને માળિયા(મી)ગ્રામ્ય ભાજપા પદાધિકારીઓ સાથે સપ્તેશ્વર મહાદેવ મંદિર,સરવડ ખાતે બેઠક યોજશે. સાંજે ૫ કલાકે મોરબી ખાતે આગમન અને મોરબી શહેર ભાજપ પદાધિકારીઓ સાથે મોરબી શહેર ભાજપ કાર્યાલય, મોરબી ખાતે બેઠક યોજશે.તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાંધીનગર રવાના થશે.
- text