હળવદ જીઆઇડીસી દુર્ઘટનામાં ભોગ બનનારના પરિવારને માર્કેટિંગ યાર્ડ દ્વારા સહાય અર્પણ કરાઇ

- text


હળવદ : થોડા દિવસ પૂર્વે હળવદ જીઆઇડીસીમાં આવેલા મીઠાના કારખાનામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારખાનાની દીવાલ પડતાં કામ કરી રહેલા લોકો દટાઈ જતા મૃત્યુ પામ્યા હતા. ત્યારે મૃતકના પરિવારને હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા સહાય અર્પણ કરવામાં આવી છે.

હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ અને હાજર સભ્યો દ્વારા આજે મૃતકના પરિવારજનોને વ્યક્તિદીઠ 50 હજાર એમ કુલ 12 પરિવારને કુલ 6 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.

- text

- text