મન મુકીને વરસો મેઘરાજા: બ્રિજેશ મેરજાના વતન ચમનપરમાં મેઘલાડુનું આયોજન

- text


 

મોરબી: મોરબી જિલ્લામાં હાલ સારા વરસાદની ખેડૂતો અને લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની પ્રેરણાથી તેમના વતન એવા ચમનપર ગામમાં મેઘરાજાને રિઝવવા માટે મેઘલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજયમંત્રી બ્રિજેશ મેરજાના માદરે વતન એવા ચમનપર ગામમાં તેમની પ્રેરણાથી મેઘલાડુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે મેહુલો મન મુકીને વરસે તે માટે મેઘલાડુના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. ચમનપર ગામમાં સરપંચની આગેવાની હેઠળ યુવાઓના સહયોગથી મેધાલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના સમરસ આર્દશ ગામ એવા ચમનપરમાં હરિયાળા વૃક્ષો વચ્ચે મોરલાના અસંખ્ય ટહુંકારા ગુંજી રહ્યા છે ત્યારે રાહ જોવાઈ રહી છે કે, મેહુલિયો સર્વત્ર મન મુકીને વરસે !

- text

- text