મોરબી જિલ્લામાં શુક્રવારે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી,ટંકારા તથા લજાઈમાં આવતીકાલે શુક્રવારના રોજ 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે તથા પ્રેગ્નેન્ટ લેડીઝ માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે.

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા આવતીકાલે તા.1-7-22 શુક્રવારના રોજ કોઈપણ બીમારી સામે લડવા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે તથા પ્રેગ્નેન્ટ લેડીઝ માટે વિનામૂલ્યે કશ્યપસંહિતામાં વર્ણવેલ 3 હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ મોરબી,ટંકારા તથા લજાઈ ખાતે યોજાશે.

મોરબીમાં સોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી,સ્વામિનારાયણ મંદિર ગેઇટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ ખાતે સવારે 10 થી 1 અને સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે. મોરબી સામાકાંઠે સાર્થક વિદ્યા મંદિર સ્કુલ, કેસર બાગ પાછળ, મોરબી સવારે 9 થી 12 સાંજે 3 થી 6 નો રહેશે.કલરવ હોસ્પિટલ, મહેશ હોટલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 10 થી 12:30 સાંજે 4:30 થી 6 સુધીનો રહેશે.ટંકારામાં એમ.ડી. હોલ, એમ.ડી. સોસાયટી ખાતે સાંજે 5 થી 6:30 અને લજાઈમાં લજાઈ દૂધ મંડળી સામે-લજાઈ સાંજે 4:30 થી 6 સુધીનો રહેશે.

- text

આ આયુર્વેદિક ટીપ પીવડવાથી કોઈપણ રોગ સામે લડવા માટે બાળકોની ઇમ્યુનિટી વધે છે, પાચનતંત્ર સુધરે છે, યાદશક્તિમાં વધારો થાય છે, શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે., તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન વગેરેથી બચાવે છે, ગુસ્સો તથા ચીડચીડિયાપણું ઓછું થાય છે, બાળક એક્ટિવ થાય છે.આ ડ્રોપ્સની કોઈ સાઈડિફેક્ટ થતી નથી.

- text