મોરબીના લોહાણા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક અવસાન થતા રઘુવંશી મહાસંમેલન મોકુફ

- text


મહાસંમેલનની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે

મોરબી : મોરબીના લોહાણા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક અવસાન થયું છે. જેને તા.૩ જુલાઈના રોજ યોજાનાર પગલે રઘુવંશી મહાસંમેલન મોકુફ રાખવામાં આવ્યુ છે. આ મહાસંમેલનની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

- text

મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજનું મહાસંમેલન આગામી તા.૩-૭-૨૦૨૨ રવિવાર ના રોજ યોજવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ તા.૨૬-૬-૨૦૨૨ રવિવારના રોજ મોરબી લોહાણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટકનુ આકસ્મિક દુઃખદ અવસાન થતા તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવામા આવ્યા છે. આગામી સમયમા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text