મોરબી- માનસર બસ અનિયમિત હોવાથી ડેપો મેનેજરને રજૂઆત

- text


મોરબી: મોરબી માળીયા વાયા દેરાળા બસ માનસર ગામેથી નીકળે છે. જે બસ મોરબી બસ સ્ટેશનથી 12:45 સમય ઉપાડવાનો છે. પરંતુ બસ 2 વાગ્યાની આસપાસ ઉપડે છે. જેનાથી મુસાફરો ગામડે સમયસર પહોંચી શકતા નથી. બસ અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને અપ ડાઉન કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે માનસર ગામના સરપંચ જીતેન્દ્ર ઠોરિયાએ ડેપો મેનેજરને આ અંગે લેખિત રજૂઆત કરીને બસ નિયમિત સમયસર ઉપડે તેવી રજૂઆત કરી છે.

- text

- text