આરોગ્ય કેન્દ્રના નવા બાંધકામને મંજૂરી મળતાં સરકારનો આભાર વ્યક્ત કરતાં જિ.પં.ના પદાધિકારીઓ

- text


મોરબીઃ મોરબી જિલ્લાના 1 પીએચસી કેન્દ્ર અને 18 પેટા આરોગ્ય કેન્દ્રને નવા બાંધકામની મંજૂરી મળતાં મોરબી જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

મહત્વનું છે કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર પી.એચ.સી કેન્દ્ર તથા માળીયા(મી.) તાલુકાના મોટા દહિસરા,ભાવપર, કુંતાસી, મોટાભેલા, વાધરવા, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ, રાજાવડલા, અગાશી પીપળીયા, હળવદ તાલુકાના માલણીયાદ, ગાલાસણ, સુરવદર, જુના દેવળીયા, ટીકર-૧, ટંકારા તાલુકાના સાવડી અને મોરબી તાલુકાના આદરણા, લુટાવદર, ભડીયાદ ઘુનડા(સ)ના પેટા આરોગ્ય કેન્દ્ર ઘણાં સમયથી જર્જરીત હાલતમાં હતા. જેને સરકારમાંથી નવા બાંધકામની મંજુરી માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અને કારોબારી સમિતિના ચેરમેન જયંતીલાલ ડી. પડસુંબીયા રજૂઆત કરી હતી.

- text

ત્યારે આ રજૂઆતના ફળસ્વરૂપે એક પી.એચ.સી અને ૧૮ પેટા આરોગ્ય કેન્દ્રને નવા બાંધકામની મંજુરી મળતાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બ્રજેશ મેરજા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text