સીરામીક ઉદ્યોગપતિ સાથે સામાન્ય બાબતે બબાલ મામલે ઉદ્યોગકારોમાં ઉગ્ર રોષ : ઉદ્યોગકારો એસપી કચેરીએ એકઠા થયા

- text


રફાળેશ્વર પાસે ઉદ્યોગપતિની કાર સાથે કાર અથડાવવાની ઘટનામાં બળજબરી અને મારામારીના બનાવ મામલે ઉદ્યોગકારોમાં રોષ

મોરબી : મોરબી નજીક રફાળેશ્વર પાસે એક સીરામીક ઉદ્યોગકારની કાર સાથે કાર અથડાવવા જેવી સામાન્ય બાબતમાં બબાલ થઇ હતી. જેમાં 3 જેટલા ઉદ્યોગકારને ઇજા પણ પોહચી હોવાના અહેવાલ છે. જ્યારે આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ઉદ્યોગપતિને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાતા મોટી સંખ્યામાં સીરામીક ઉદ્યોગકારો પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઇ આ ઘટના અંગે ભારે રોષ વ્યકત કર્યો હતો. અને બાદમાં પોલીસવડા કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવા ઉદ્યોગકારો પોહચ્યા હતા.

- text

આ અંગે મળતી માહિતી મુજબ આ ઘટનાના વિરોધમાં સીરામીક ઉધોગકારો મોટી સંખ્યામાં મોરબી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે એકઠા થયા છે. આ અંગે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે રફાળેશ્વર પાસે આવેલી ફાટક નજીક સીરામીક ઉદ્યોગપતિની કાર સાથે સામાન્ય બાબતે કાર અથડાવી કારમાં નુકસાન કરી અને કાર પર પથ્થરમારો કરતા કારમાં સવાર 3 ઉધોગકારોને ઇજા પોહચી છે. અને ઉપરથી સીરામીક ઉધોગકારો સાથે બળજબરી પણ કરવામાં આવી છે. આ ઘટના અંગે સખત કાર્યવાહીની માંગ સાથે ઉધોગકારો પોલીસવડા કચેરી ખાતે રજુઆત કરવા માટે આવ્યા છે. ઉદ્યોગકારોએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગકારની કાર સાથે જાણી જોઈને અકસ્માત સર્જીને મારામારી કર્યા બાદ સમાધાન પેટે પૈસાની પણ માંગણી કરવામાં આવી છે. તેમજ સીરામીક ઉધોગકારો સામે પણ ખોટી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરતા ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

- text