લોકહિતમાં ચાલતા ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે માળીયા બંધ

- text


શહેર અને તાલુકાના પ્રાણ પ્રશ્ને ચાલતા આંદોલનને જનતાનો ટેકો

માળીયા : રાજ્યના સૌથી પછાત ગણાતા માળીયા શહેર અને તાલુકાના લોકહિતના પ્રશ્ને ચાલતા ઉપવાસ આંદોલનમાં આજે માળીયા બંધનું એલાન અપાયું છે.

માળીયા શહેર અને તાલુકાના વિકાસ કામો અને સુવિધા આપવાની માંગ સાથે લોકહિતના પ્રશ્નો અંગે ઝુલ્ફીકાર સધવાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે ત્યારે આ ઉપવાસ આંદોલનને સંપુર્ણ ટેકો આપવા આજે તા.8ના રોજ માળીયા શહેરના લોકોએ આંદોલનને ટેકો આપવા માળીયા બંધ રાખવા નક્કી કર્યું છે.

- text

માળીયા તાલુકાના હિતમાં ચાલી રહેલ આ આંદોલનમાં શહેરીજનો અને ગ્રામ્ય જનતા બહોળી સંખ્યામાં જોડાઈ ઉપવાસી ઝુલ્ફીકાર સધવાણીના સમર્થનમા હાજરી આપવા જેડા ઈકબાલભાઈ ઉમરભાઈ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.

- text