મોરબી જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

- text


કેમ્પમાં ૨૨૩ દર્દીઓએ લાભ લીધો

મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે જીલ્લા ભાજપ પ્રમુખના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૩૩ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

મોરબી જલારામ મંદિર ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા પરિવારના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા ૨૨૩ દર્દીઓએ લાભ લીધો હતો.અત્યાર સુધીના ૧૦ કેમ્પ મા કુલ ૩૪૯૦ લોકોએ લાભ લીધો.

રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની તા.૪ના રોજ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે.જે અંતર્ગત તા.૪ને શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.જેમા ૨૨૩ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

તે ઉપરાંત ૮૪ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યા હતા. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી હતી.

પ્રવર્તમાન માસનો કેમ્પ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૯ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૩૨૬૮ લોકોએ લાભ લીધો હતો.તેમજ કુલ ૧૪૭૩ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ હતા. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૩૩ લોકોએ લાભ લીધો હતો.તેમજ ૮૪ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા.

- text

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા જલારામ સેવા મંડળ,જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫,નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

- text