મોરબીના સામાકાંઠેથી રાજકોટ જવા માટે એસટી બસ શરૂ

- text


દરરોજ સામાકાંઠેથી રાજકોટ જવા માટે સવારે 9-15, બપોરે 1-45 અને સાંજે 5-45 વાગ્યે બસ ઉપડશે

મોરબી : મોરબીના સામાંકાંઠેથી રાજકોટ જવા માટે ફરીથી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ સામાકાંઠેથી રાજકોટ જવા માટે સવારે 9-15, બપોરે 1-45 અને સાંજે 5-45 વાગ્યે બસ ઉપડશે.

- text

મોરબીના સામાંકાંઠેથી રાજકોટ જવા માટે અગાઉ એસટી બસ ચાલુ હતી. પણ કોરોનાનું ગ્રહણ નડતા કોરોના કાળમાં આ એસટી બસ સેવા બંધ કરવામાં આવી હતી અને ઘણા સમયથી કોરોનાનું ગ્રહણ દૂર થયું હોય જનજીવન સામાન્ય બની જવા છતાં ફરી મોરબીના સામાંકાંઠેથી રાજકોટ જવા માટે અગાઉ એસટી બસ શરૂ કરાઇ ન હતી. આથી સ્થાનિકોએ તંત્ર સમક્ષ આ એસટી સેવાને ફરીથી ચાલુ કરવાની માંગ કરી હતી. સામાકાંઠેથી રાજકોટ જવા માટે મોટો સમુદાય હોય આ લોકોને અગવડતા ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા હવે ફરીથી મોરબીના સામાંકાંઠેથી રાજકોટ જવા માટે એસટી બસ શરૂ કરવામાં આવી છે જેથી સામાકાંઠાના લોકોને મોટી રાહત થઈ છે.

- text