- text
મોરબી : મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિતે મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે મોરબી શહેર યુવા ભાજપના પ્રભારી તરુણભાઈ અઘારા, મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરૂણભાઇ રામાવત તેમજ મિતુલભાઈ ધ્રાંગા તેમજ અજયભાઈ કોટક તથા શહેર યુવા મોરચાના મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજ સિધ્ધરાજસિંહ ઝાલા, આઈટીએસએમ ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા સહીત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી.
- text
- text