મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા બુધવારે પ્રથમ સ્તંભ પૂજન મહોત્સવ

- text


મોરબી : મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા બુધવારે મંદિરના પ્રથમ સ્તંભ પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં ઝૂલતા પુલની બાજુમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી તા. 27 એપ્રિલને બુધવારે સવારે 5-30 કલાકે મચ્છુ નદીના સુંદર તટે નિર્માણાધીન ભવ્યાતિભવ્ય શિખરબદ્ધ મંદિરના પ્રથમ સ્તંભની પૂજન – સ્થાપનવિધિ બી.એ.પી.એસ. સંસ્થાના કોઠારી ભક્તિપ્રિય સ્વામીના સાનિધ્યમાં રાખેલ છે.

- text

મંદિરની પ્રથમ સ્તંભ પૂજનવિધિના દર્શન અને પ્રેરક કાર્યક્રમનો પ્રસાદ સાથે લાભ લેવા સાધુ બ્રહ્મતીર્થદાસ, સાધુ હરિસ્મરણદાસ તથા સાધુ મંગલપ્રકાશદાસ દ્વારા હરિભક્તોને સમગ્ર પરિવાર સાથે પધારવાનું હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text