- text
ટંકારા : ગુજરાત માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા શિષ્યવૃતિ પરીક્ષામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે અવ્વલ સ્થાને પાસ થઇ ડંકો વગાડ્યો છે.તેમજ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ પ્રાથમિક કક્ષાની શિષ્યવૃતિ પરીક્ષામાં નાલંદા વિદ્યાલયનો વિદ્યાર્થી ટંકારા તાલુકામાં પ્રથમ સ્થાને પાસ થયો છે.
ગુજરાત માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા શિષ્યવૃતિ પરીક્ષામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે અગ્રેસર રહ્યા છે.માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા-2021માં સમગ્ર મોરબી જિલ્લામાંથી મેરીટમાં આવનાર કુલ 39 વિદ્યાર્થીમાં નાલંદા વિદ્યાલયના પાંચોટિયા દક્ષ દીપકભાઈએ મોરબી જિલ્લમાં 162 ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.અન્ય ત્રણ વિદ્યાર્થીઓ જિલ્લામાં તૃતીય ક્રમે સરવડા કપન મનોજભાઈ જેને 151 માર્ક્સ મેળવ્યા,ચોથા ક્રમે ગામી સ્નેહ જયેશભાઇ અને વડનગરા પ્રિયાંશુ 147 માર્ક્સ સાથે અગ્રેસર રહ્યા હતા.
- text
આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ પ્રાથમિક કક્ષાની શિષ્યવૃતિ પરીક્ષામાં ધોરણ-6માં અભ્યાસ કરતો વિડજા દેવમ જીમ્મીભાઈ 170 માર્ક્સ સાથે ટંકારા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી શાળા પરિવારની ગૌરવ વધાર્યું હતું.તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
- text