મોરબીમાં સોમવારે ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાશે

- text


મોરબી : મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે સોમવારે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભક્તો માટે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા.11ને સોમવારના રોજ મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજે 6 વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે 9:30 કલાકે માતાજીનો નવરંગ માંડવો યોજાશે.જેમાં રાવળદેવ શિવરાજ પુરવાળા,હરદેવભાઈ માતાજીના દુહા,ગરબા ગાઈ ડાકલાની રમઝટ બોલાવશે.જેમાં માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહેશે.બહોળી સંખ્યામાં ભક્તોને આ માતાજીના નવરંગ માંડવાના દર્શન અને પ્રસાદનો લાભ લેવા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરની યાદીમાં જણાવ્યું છે.

- text

- text