મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ

- text


પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે

મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે.પ્રતિમાના અનાવરણ અવસર પર રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ અવસર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હાજરી આપશે.તેમજ રામકથાના શુભારંભે શોભાયાત્રા નીકળશે.

ગુજરાતની સૌથી ઊંચી હનુમાનની 108 ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી મુકામે નિર્માણ પામેલ છે.ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 108 ફુટ ઊંચી હનુમાન મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર આયોજીત રામકથા શુભારંભ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન સમયના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે.પ્રતિમાના અનાવરણ અવસર પર તા. 8 થી 16 એપ્રિલ સુધી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે.કથાશ્રવણ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવી કરાવશે.રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો,અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પધારશે.આ સાથે રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text