મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિતે શોભાયાત્રા નીકળશે

- text


મોરબી : મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષા,દુર્ગાવાહીની અને માતૃ શક્તિ દ્વારા રામનવમી નિમિતે ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળ,ગૌરક્ષા,દુર્ગાવાહીની અને માતૃ શક્તિ દ્વારા રામનવમી નિમિતે રામ ભગવાનની શોભાયાત્રા આગામી તા.10ને રવિવારના રોજ સાંજે 4:30 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ થી મયુરપુલ,મહેનદરસિંહજી ડારઈવિન રોડ, દરબારગઢ, ગ્રીન ચોક, નગરદરવાજા થી જુના બસ સ્ટેશન થી રામ ચોક થી શનાળા રોડ , નવા બસ સ્ટેશનની સામેના રસ્તા થી બાપાસીતારામ ચોક,એવન્યુ પાર્ક રવાપર રોડ થી સીતારામ ચોક,ચકીયા હનુમાન થી શાક માર્કેટ,જેઈલ રોડ થઇને વિહીપ કાર્યાલયે પુરી થશે.આ શોભાયાત્રામાં જોડાવા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text